પોલીસ કમિશનર, સુરત
http://www.cpsurat.gujarat.gov.in

પોલીસે માર્ગ અકસ્માત નિવારવા શું કાળજી લેવી ?

4/19/2024 8:23:07 AM

 

પોલીસે માર્ગ અકસ્માત નિવારવા શું કાળજી લેવી ?   

 

·         માર્ગ અકસ્માત કઈ જગ્યાએ, કયા સમયે, કયા કારણસર વધુ બને છે તેની સમીક્ષા કરી તેના ઉપાયો શોધવા.

·         રાત્રે માર્ગ વચ્ચેના ડિવાઇડર સાથે વાહનો ન અથડાય તે માટે ડિવાઇડર પાસે રિફલેક્ટરની વ્યવસ્થા કરો અને કેટ આઇઝનો ઉપયોગ કરો.

·         રોડ, ફૂટપાથ ઉપર અડચણ કરનારા સામે ઇન્ડિયન પિનલ કોડ કલમ ર૮3 હેઠળ ગુનો દાખલ કરી અડચણરૂપ વસ્તુને કબજે લેવી.

·         નશો કરીને વાહન ચલાવતા વાહનચાલક સામે મોટર વ્હીકલ એક્ટ કલમ ૧૮પ હેઠળ ગુનો દાખલ કરાવો.

·         ''નો પાર્કિંગ ઝોન''માં વાહન પાર્ક કરે તો ઇન્ડિયન પિનલ કોડ કલમ ૧૮૮ હેઠળ ગુનો દાખલ કરાવવો.

·         ફરિયાદની કાર્યવાહી કરતાં પહેલાં તરત જ ઈજાગ્રસ્તને દવાખાને પહોંચાડવાની કાર્યવાહી કરો.

·         ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર લોકો સાથે સૌજન્યપૂર્ણ વર્તન રાખો.

·         નાનાં બાળકોની હાજરીમાં ટ્રાફિકના મેમા ન આપવા. મોટર વ્હીકલ એક્ટ કલમ ર૦૭ હેઠળ વાહન ડીટેઈન કરો ત્યારે મહિલા, બાળકો રોડ વચ્ચે નિરાધાર ન મૂકી દેવાં અને તેઓને જે તે જગ્યાએ મોકલી આપવાની કાળજી લેવી.

·         વાહનો અવર લોડીંગ હોય તો તેને દંડ કરવો..